ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, 181 અભયમ યોજના, વ્હાલી દિકરી યોજના (vhali dikri yojana) જેવી વિવિધ યોજના બહાર પાડવામાં આવેલી છે.
આજે આપણે અહિયાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ Gujarat Vhali Dikri Yojana વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. આ યોજનામાં કુલ 1,10,000 ની સહાય હપ્તા રૂપે દિકરીને આપવામાં આવે છે. આ યોજનાનું અરજી ફોર્મ પણ તમને અહિયાથી મળી રહેશે.
ઉદ્દેશ્ય
વ્હાલી દિકરી યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના જન્મ દરમાં વધારો કરવાનો, દિકરીના શિક્ષણને ઉત્તેજન આપવાનો અને જે દીકરીઓને અમુક સમય પછી ભણાવવાનું બંધ કરી દેવામાં આવે છે જે ન થાય, દિકરી અથવા સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળલગ્ન અટકે તેવો છે.
પાલક માતા-પિતા યોજના, દર મહિને મળશે રૂપિયા 3000 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી
પાત્રતા
- તારીખ 02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- કુટુંબમાંથી વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપત્ર છે.
- કુટુંબની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિરકીઓને આ યોજનાનો લાભ મળવાપત્ર થશે.
- કેટલાક કિસ્સાઓમાં બીજી/ત્રીજી પ્રસૂતિ વખતે કૂટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપત્ર થશે.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા દંપતીની (પતિ અને પત્ની) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે એક સમાન રાખવામાં આવી છે.
- રૂપિયા 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપત્ર છે.
છૂટાછેડાના સંદર્ભમા
- એકલ માતા-પિતા (સિંગલ પેરેન્ટ જેવા કે વિધવા/વિધુર/ત્યક્તા/છૂટાછેડા થયેલ) ના કિસ્સામાં એકલ માતા/પિતાની આવક ઉક્ત મર્યાદા મુજબ ધ્યાને લેવાની રહેશે.
- છૂટાછેડાના કેસમાં માતા કે પિતા જેની પાસે દિકરીની કસ્ટડી હોય તેની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે.
- છૂટાછેડા/ત્યક્તા/વિધુર/વિધવા થયાં બાદ પુનઃલગ્ન કરેલ હોય અને અગાઉના લગ્નથી થયેલ દિકરીની કસ્ટડી હોય તો તે દંપતીની સંયુકત આવક મર્યાદા ધ્યાને રાખવાની રહેશે.
માતા-પિતા હયાત ન હોય તેના સંદર્ભમાં
કોઈ કારણોસર માતા-પિતા હયાત ન હોય તેવી અનાથ દિકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યો નીચેના અગ્રતાક્રમ મુજબ વાલી તરીકે લાભાર્થી દિકરી માટેની અરજી કરી શકશે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના, મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય, વાંચો વિગતવાર માહિતી
- લાભાર્થી દિકરીના દાદા કે દાદી
- લાભાર્થી દિકરીના અવસાન પામેલ પિતાના પરણિત/પરણિત ભાઈ/ભાઈઓ અને તેમની પત્ની પૈકી કોઈ એક
- લાભાર્થી દિકરીના અવસાન પામેલ પિતાની પરણિત/અપરણિત બહેન/બહેનો પૈકી કોઈ એક
- ઉપરના કૂટુંના સભ્યો પૈકી કોઈ હયાત ન હોવાના અસાધારણ કિસ્સાઓમાં સૌથી નજીકના કુટુંબના સભ્યએ ખાસ કિસ્સા તરીકે અરજી કરવાની રહેશે.
- સરકાર માન્ય અનાથાલય કે અન્ય સમાજસેવી સ્વૈચ્છિક સંસ્થાઓની આશ્રિત ત્યક્તા દીકરી/અનાથ દિકરીના કિસ્સામાં જે તે સંસ્થા લાભાર્થી દિકરી વતી અરજી કરી શકશે
- અનાથ દિકરીના કિસ્સામાં સંબંધિત વાલી ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાનું રહેશે.
- દત્તક લીધેલ દિકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતીની આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે.
અરજી કરવાની અને અરજી મંજૂરીની પ્રક્રિયા
“વ્હાલી દિકરી” યોજનાનું અરજીપત્રક ગ્રામપંચાયત કચેરીના e-Gram સેન્ટર, તાલુકા મામલતદાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ wcd.gujarat.gov.in/ પરથી ઉપલબ્ધ થઈ શકશે.
લાભાર્થીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં સદરહુ અરજી જનસેવા કેન્દ્ર અથવા e-Gram સેન્ટર પર જમા કરાવી શકશે. ઉપરાંત ડિજિટલ ગુજરાત ઉપર ઓનલાઈન અરજી પણ કરી શકશે.
તારીખ 02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દિકરીના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
- જન્મનું પ્રમાણપત્ર
- દિકરીનું આધારકાર્ડ હોય તો તે
- માતા અને પિતાનું આધારકાર્ડ
- આવક નો દાખલો
- કુટુંબના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લગ્નનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાનો નમૂનો
- રેશનકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
મળવાપાત્ર લાભ
- પ્રથમ હપતો: દિકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 4000 ની સહાય
- બીજો હપતો: દિકરી નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6000 ની સહાય
- ત્રીજો હપ્તો: દિકરી 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 ની સહાય
દિકરીના બાળલગ્ન થયેલ ના હોવા જોઈએ. 18 વરસની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત બાકી રહેતી સહાય મળવાપત્ર રહેશે નહીં.
દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના, વાંચો વિગતવાર માહિતી
અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું 18 થી 60 વર્ષની વય દરમિયાન નિધન થાય તો ભારતીય જીવન વીમા નિગમ સાથે થયેલ MoU મુજબ વિમાની રકમ 10,000 લાભાર્થી દિકરીને મળવાપાત્ર રહેશે. આવા કિસ્સાઓમાં નિધન પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુનો દાખલો અને જન્મતારીખના પુરાવા સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારીને અરજી મોકલી આપવાની રહેશે.
વ્હાલી દિકરી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?
વ્હાલી દિકરી યોજનામાં ફોર્મ ભરવા માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તમે ડિજિટલ ગુજરાત વેબસાઈટ ઉપર જઈને આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. જો ઓનલાઈન અરજી કરવા ન માંગતા હોવ તો તમે ગ્રામપંચાયત અથવા તો શહેરી વિસ્તાર વાળા મામલતદાર કચેરીમાં જઈને વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી અને ફોર્મ ભરી શકો છો.
તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તેની પહોંચ ની નકલ તમને આપવામાં આવશે. આ નકલો તમારે સાચવી ને રાખવાની રહેશે.
વ્હાલી દિકરી યોજના ફોર્મ | અહિયાં ક્લિક કરો |
Source: https://wcd.gujarat.gov.in